પ્રતિ,
મે. નિયામકશ્રી
પ્રાથમિક શિક્ષણ, ગુ.રા.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯, ગાંધીનગર
વિષય :- આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબત
સંદર્ભ:- (૧) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૪૨૦૧૯/સીસી-૩૯૧/ક-૧, તા.૦૫/૦૧/૨૦૨૪
મે. સાહેબશ્રી,
સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૪૨૦૧૯/સીસી-૩૯૧/ક૧, તા.૫/૧/૨૦૨૪થી માહિતી મંગાવવા બાબતે થયેલ પત્ર અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા પત્ર ક્રમાંક : પ્રાશિનિ/ક-નીતિ/૨૦૨૪થી તમામ જિલ્લાઓ પાસે માહિતી માંગવામાં આવેલ હતી. પરંતુ આજદિન સુધી ઉપરોક્ત બાબતે નિર્ણય કરવામાં આવેલ નથી તો અમારી રજૂઆતને ધ્યાને લઈ ઘટતી કાર્યવાહી કરી લાભાર્થી શિક્ષકોને આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબતે કાર્યવાહી કરવા વિનંતી છે.
વધુમાં જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા. ૨૯/૦૯/૨૦૨૩ના પત્રથી નામ. હાઈકોર્ટના ચૂકાદાને આધારે સળંગ નોકરી ગણવા બાબતે હુકમો થયેલ છે જે ધ્યાને લઈ અન્ય જિલ્લામાં પણ લાભમળે એ બાબતે ઘટતું કરવા વિનંતી છે.
મતદાર ઓળખકાર્ડ 15 દિવસમાં મતદારને મળશે – ચૂંટણી પંચ
નિવૃતિ ની ગ્રેજ્યુઈટી મર્યાદા માં વધારો કરવા બાબત
શાળાનું કયું દફ્તર કેટલા વર્ષ સુધી સાચવવું..?
CRC / BRC પ્રતિનિયુક્તિ બાબત
ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને માંદગી હેતુ માટેની રજા ક્યારથી જમા આપવી તેની સ્પષ્ટ સૂચના થવા બાબત
તાલુકા કક્ષાએ ધોરણ 1 અને 2 ભણાવતા શિક્ષકોની તાલીમ યોજવા બાબત
તારીખ 18 6 2025 ના રોજ બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત