ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, સંદર્ભ-૨ દર્શિત પરિપત્રથી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજન (કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) અંગે જરૂરી સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. જેનાં અનુક્રમ નંબર-૨ માં જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ પાસે PMJAY યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે.
આ કાર્ડ ફાળવવાની કામગીરી SHA (STATE HEALTH AGENCY) ને સોંપવામાં આવેલ છે. આ માટે રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોનાં કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ નાં નિયમ ૨.૨ માં જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ અને ALL INDIA SERVICES (AIS) ના અધિકારીઓનાં કિસ્સામાં તેઓને લાગુ પડતા ALL INDIA SERVICES (MEDICAL ATTENDANCE) RULES, 1954 मां ४ए॥वेत छुटुनी व्याच्या मु४वनी पात्रता ધરાવતાં હોય તેવા તેમનાં આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું થાય છે.
સદર પરિપત્રનાં અનુક્રમ-૩ થી જણાવ્યાં મુજબ ઉપર્યુક્ત વિગતોએ ALL INDIA SERVICES (AIS) અને રાજ્ય સરકારનાં પેન્શનર જે જિલ્લા તિજોરી કચેરી /પેટા તિજોરી કચેરી/ પેન્શન ચુકવણાં કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાનાં જિલ્લા તિજોરી અધિકારી/ પેટા તિજોરી અધિકારી/ પેન્શન
ચુકવણાં અધિકારી/ પગાર અને હિસાબ અધિકારી દ્વારા અથવા વિકલ્પે, જે કચેરીમાંથી નિવૃત્ત થયા હોય તે કચેરીનાં વડાએ સદર પરિપત્ર સાથે સામેલ નિયત નમુનામાં પ્રમાણપત્ર આપવા જણાવેલ છે.
ગુજરાત તબીબી સારવાર નિયમો-૨૦૧૫ ના નિયમ નં-૨.૨ મુજબ કુટુંબની વ્યાખ્યામાં સમાવિષ્ટ કુટુંબના સભ્યો જેઓના નામ પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરી/સહાયક નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઈશ્યુ થયેલ જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરી ખાતે ઉપલબ્ધ પેન્શન ચુકવણી હુકમ(પીપીઓ બુક) માં દર્શાવેલ હોય તે મુજબ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના ( કેસલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) અંતર્ગત પ્રમાણપત્ર આપવાની કામગીરી જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરીએ કરવાની રહેશે.
મતદાર ઓળખકાર્ડ 15 દિવસમાં મતદારને મળશે – ચૂંટણી પંચ
નિવૃતિ ની ગ્રેજ્યુઈટી મર્યાદા માં વધારો કરવા બાબત
શાળાનું કયું દફ્તર કેટલા વર્ષ સુધી સાચવવું..?
CRC / BRC પ્રતિનિયુક્તિ બાબત
ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને માંદગી હેતુ માટેની રજા ક્યારથી જમા આપવી તેની સ્પષ્ટ સૂચના થવા બાબત
તાલુકા કક્ષાએ ધોરણ 1 અને 2 ભણાવતા શિક્ષકોની તાલીમ યોજવા બાબત
તારીખ 18 6 2025 ના રોજ બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત